Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હરિયાણામાં બસમાં આગ લાગતાં 9 લોકોનાં ઘટના સ્થળ ઉપર મોત

  • May 19, 2024 

હરિયાણાના નૂહ જિલ્લાના ધુલાવત ગામ નજીક એક બસમાં આગ લાગવાથી 5 મહિલાઓ અને 12  વર્ષની છોકરી સહિત 9 લોકો જીવતા દાઝી ગયા હતા અને 17 ઘાયલ થયા હતા. આ માહિતી હરિયાણા પોલીસે શનિવારે આપી હતી. એક રિપોર્ટ મુજબ, પંજાબના હોશિયારપુર અને લુધિયાણાના રહેવાસી એક પરિવારના લગભગ 60 લોકો બસમાં સવાર હતાં. તેઓ મથુરા અને વૃંદાવનથી પરત ફરી રહ્યાં હતાં. આ દરમિયાન બસના એસી બોક્સમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. રાત્રે બે વાગ્યે ઘટેલી  ઘટનામાં 9 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, ઘટના સ્થળેથી ભાગી ગયેલા બસ ડ્રાઈવર વિરૂદ્ધ સદર તૌરુ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. એક સ્થાનિકે નિવેદનમાં કહ્યું કે, આગની જાણ બાદ કેટલાક લોકોએ ડ્રાઈવરને બસ રોકવા માટે કહ્યું હતું પરંતુ, તેણે ડ્રાઈવિંગ ચાલુ રાખ્યું હતું. જયારે 17 ઘાયલોમાંથી 14 ને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application