Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ખેડૂત તાલીમ કેન્દ્ર, વ્યારા ખાતે બે દિવસીય કૃષિમેળો યોજાશે

  • March 07, 2018 

તાપીમિત્ર ન્યૂઝ,વ્યારા:આગામી તા. ૦૮મી અને ૦૯મી, માર્ચના રોજ આત્મા પ્રોજેકટ, તાપી અને ખેડૂત તાલીમ કેન્દ્ર, વ્યારાના સંયુકત ઉપક્રમે ખેડૂત તાલીમ કેન્દ્ર સંકુલ, ઉનાઇ રોડ, વ્યારા ખાતે તાપી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ગજરાબેન ચૌધરીના અધ્યક્ષપણા હેઠળ બે દિવસીય કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તાપી જિલ્લાના ખેડૂત ભાઇ બહેનોને કૃષિક્ષેત્રે થયેલા નવીનતમ સંશોધનો, હાઇટેક એગ્રીકલ્ચર, ફાર્મ મીકેનાઇઝેશન અને બિયારણ ખાતરોની વિગતે જાણકારી મળી રહે એ માટે બે દિવસીય કૃષિમેળો-વ-પાક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ કૃષિમેળો-વ-પાક પરિસંવાદના કાર્યક્રમ દરમિયાન ખેડૂતોના લાભાર્થે કૃષિ પ્રદર્શન સ્ટોલ યોજવામાં આવશે.પાક પરિસંવાદ દરમિયાન નિષ્ણાંત કૃષિવૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને કૃષિ અને આનુષાંગિક વિષયો પર માર્ગદર્શન આપવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application