Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત:પલસાણાના જોળવા ગામે પરણીતા ઉપર સાસરિયાઓનો અત્યાચાર:પોલીસ મથકે ગુન્હો નોંધાયો

  • September 02, 2018 

તાપીમિત્ર ન્યુઝ,સુરત:પલસાણા તાલુકાના જોળવા ગામ પાસે આવેલ ગાર્ડન સિટીમાં રહેતી પુજાબેન દીનેશભાઇ સંતવાનસીગ રાજપૂત તેમના પતિ દીનેશભાઇનુ ટીફીન બનાવી રહ્યા હતા.ત્યારે  પુજાબેનની સાસુ મંજુબેન એ કહ્યુ હતુ કે,તુ તારા બાપના ઘરેથી પૈસા લઇ આવ તેમ કહેતાં પુજાબેને રૂપીયા લાવવાની ના પડતાં સાસુ મંજુબેને ઉશ્કેરાઇ જઇ ગાલ પર થપ્પડ મારી દીધી હતી.દરમ્યાન તેમના પતિ દિનેશભાઇ આવતા તેઓએ પણ મમ્મી સાથ કેમ ઝગડો કરે છે.તેમ કહી પુજાબેનને મારમારી જતાં રહ્યા હતા.ત્યારે પુજાબેન જમવાનુ જમી સુતા હતા.તે વેળાએ તેઓની તરત તબીયત બગડી અને તેઓને ઉલટી આવતાં તેઓએ આ અંગે તેમના ભાઇને જાણ કરતાં પુજાબેનનો ભાઇ ઈમરજન્સી સેવા ૧૦૮ બોલાવી તેઓને સુરત સ્મીમેર હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં પુજાબેનને શક હતો કે તેમની સાસુ મંજુબેન ખોરાકમાં કોઈ ઝેરી પદાર્થ નાખી દીધો હોવાથી તબીયત બગડી છે.જેને લઇ પુજાબેને પલસાણા પોલીસ મથકે સાસરિયાં વિરૂધ્ધ ફરિયાદ કરી હતી જેમની ફરિયાદને આધારે પોલીસે ગુનો રજીસ્ટર આગળની તપાસ હાથ ધરી હતી


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application