Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નર્મદા જિલ્લા ના કવાંટ તાલુકામાં વર્ષો બાદ મહાદેવ મંદિર પાણી માંથી બહાર નીકળ્યું

  • February 27, 2018 

તાપીમિત્ર ન્યુઝ,રાજપીપલા:સરદાર સરોવર નર્મદા ડેમ ના નિર્માણ બાદ પાણીમાં ડૂબી ગયેલું હાફેશ્વર મહાદેવ નું મંદિર હાલ ૧૬ વર્ષ બાદ ડેમ માં સતત ઘટેલા પાણી ના કારણે પાણીમાંથી બહાર નીકળતા ભક્તો તેના દર્શન કરવા ઉતાવળા થઈ રહ્યા છે ગુજરાત,મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ આમ ત્રણ રાજ્ય ની સરહદ પર આવેલા કવાંટ તાલુકામાં આવેલું આ ઐતિહાસિક મહાદેવ નું મંદિર હાલ નર્મદા માં પાણીની સપાટી નીચી જતા ૧૬ વર્ષ બાદ તેનો ઘુમ્મટ બહાર દેખાતા લોકો માં ભારે કુતુહલ જોવા મળ્યું છે જોકે એક તરફ પાણીની કટોકટી થી લોકો ચિંતાતુર બન્યા છે ત્યાં બીજી તરફ આ મહાદેવ મંદિર વર્ષો બાદ જળસમાધી માંથી બહાર આવતા ભક્તો માં આનંદ પણ જોવા મળી રહ્યો છે ત્યારે ચાલુ વર્ષે પાણીની ગંભીર સમસ્યા માંથી હવે હાફેશ્વર મહાદેવ કોઈ રસ્તો કાઢશે તેવું પણ સ્થાનિક શ્રદ્ધાળુઓ નું માનવું છે હાલ તો આ મંદિર ના દર્શન કરવા ભક્તો આતુર  જોવા મળી રહ્યા છે .


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application