તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢ-ઉકાઈ માર્ગ પર આવતું પંચવટી ફળીયામાં 29 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનો બનાવ સોનગઢ પોલીસ મથકે રજીસ્ટર થયો છે.
મળતી માહિતી મુજબ સોનગઢ-ઉકાઈ માર્ગ પર આવતું પંચવટી ફળિયામાં હનુમાનજી મંદિર નજીક રહેતો મયુરભાઈ અનીલભાઈ પવાર (ઉ.વ.29) નાએ તા.22મી ઓગસ્ટ નારોજ રાત્રીના સમયે કોઈ અગમ્ય કારણોસર પોતાની ઘરની બાજુમાં આવેલ ટાટા મોટર્સ સો રૂમની ગલીમાં પતરાના સેડની એંગલ સાથે દોરડા નો ફાંસો બનાવી ગળે ફાંસો ખાઈ ટીંગાઈ જઈ આપઘાત કર્યો હોવાનો બનાવ કૈલાસભાઈ અનીલભાઈ પવાર રહે,પંચવટી સોસાયટી હનુમાનજી મંદિર-સોનગઢ નાઓની ફરિયાદને આધારે સોનગઢ પોલીસ મથકે રજીસ્ટર કરવામાં આવ્યો છે.આગળની વધુ તપાસ હેડકોન્સટેબલ વિપુલભાઈ હરગોવનભાઈ કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application