તાપીમિત્ર ન્યુઝ,વાલોડ:કેરળમાં થયેલા ધોધમાર વરસાદના કારણે રાજ્યની સ્થિતિ કફોડી થઈ ગઈ છે.પુર અને ભૂસ્ખલનના કારણે રાજ્યમાં 373 લોકોના મોત થઈ ગયા છે અને લગભગ 10 લાખ લોકો રાહત શિબિરોના શર્ણાર્થી બન્યા છે.પુર પ્રભાવિત આ રાજ્યાની મદદ માટે વાલોડ તાલુકાના બુહારી ગામના ઉપસરપંચ સુરજભાઈ એસ.દેસાઈ આગળ આવ્યા છે.અને તેમની તરફથી મુખ્યમંત્રી રાહત કોષમાં એક લાખ રૂપિયા નું દાન આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
સુરજભાઈ દેસાઈ બુહારી ગામના ઉપસરપંચની સાથેસાથે ગુજરાત પ્રદેશ યુવા ભાજપ સંયોજક પણ છે.અને કેરળમાં ભાઈ-બહેનો એક ગંભીર સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યાં હોય એવામાં એક જવાબદાર નાગરિક હોવાના નાતે બચાવ,રાહત અને પુનર્વાસ માટે કેરળ ની મદદ માટે સુરજભાઈ દેસાઈ એ પોતાની તરફથી કેરળ મુખ્યમંત્રી રાહત કોષમાં એક લાખ રૂપિયાનો ચેક આપ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application