Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કુલ્લૂમાં મણિકર્ણ પાસે મોટી દુર્ઘટમાં 6 લોકોનાં મોત નિપજ્યાં

  • March 31, 2025 

હિમાચલ પ્રદેશના કુલ્લૂમાં મણિકર્ણ પાસે મોટી દુર્ઘટના થઈ છે જેમાં છ લોકોએ જીવ ગુમાવ્યા છે. અહીં પહાડી રસ્તા પર મસમોટું વૃક્ષ અચાનક જ ગાડીઓ પર પડી જતાં અનેક લોકો દબાઈ ગયા હતા. અત્યાર સુધીમાં છ લોકોના નિધનની પુષ્ટિ થઈ છે જ્યારે ઘણા લોકો ગંભીર રૂપે ઈજાગ્રસ્ત થયા છે. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. જયારે સ્થળ ઉપર જોનારાઓ અનુસાર મણિકર્ણ ગુરુદ્વારાના સામેના રસ્તા પર વૃક્ષ પડી જતાં ટુરિસ્ટ તથા એક વેપારી નીચે દબાઈ ગયા હતા. ઈજાગ્રસ્ત લોકોને સ્થાનિકોની મદદથી આસપાસની હોસ્પિટલોમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આશંકા છે કે ભૂસ્ખલનના કારણે આ વૃક્ષ ગાડીઓ પર પડ્યું હોઈ શકે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application