Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નંદુરબારમાં જુલુસ દરમિયાન અચાનક થયેલ પથ્થરમારાની ઘટનામાં કસુરવારોની અટકાયત કરાઈ

  • September 21, 2024 

મહારાષ્ટ્રનાં નંદુરબાર શહેરમાં ઈદે મિલાદુન નબીના જુલુસ દરમિયાન અચાનક પથ્થરમારો થતાં નાસભાગ મચી જતાં બજારો બંધ થયા હતાં. તેમાં જુલુસ પણ રોકી દેવામાં આવ્યું હતું. પોલીસે ટોળાને વિખેરવા ટિયરગેસના સેલ છોડ્યા હતાં. પથ્થરમારામાં એક પોલીસ કર્મીને ઈજા પહોંચી હતી. જ્યારે પોલીસે બંને પક્ષનાં ૫૫ ઈસમોની અટકાયત કરાઈ હતી. ગણેશ ચતુર્થીને લઈ નંદુરબારનાં મુસ્લિમ સમુદાયનાં લોકોએ ત્રણ દિવસ બાદ ઈદે મિલાદનું જુલુસ કાઢવાનો નિર્ણય લીધો હતો. જોકે ગુરુવારે જુલુસ કાઢયું હતું. જુલુસ માળીવાડા પાસેથી પ્રસાર થઈ રહ્યું હતું.


ત્યારે અચાનક પથ્થરમારો થતાં ભાગદોડ મચી ગઈ હતી. ત્યારબાદ મંગળ બજાર, સુભાષ ચોક સહિત બજાર વિસ્તાર બંધ થયા હતાં. ઘટનાની જાણ પોલીસ વડા શ્રાવણ દત્તને થતાં પોલીસ કોર્સ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. ટોળુ બેકાબુ બનતા પોલીસને ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. ટોળાએ પોલીસ વડાની કારના કાંચ ફોડડ્યા હતાં. આ તોફાનમાં ૬ સરકારી વાહનોને નુક્સાન પહોંચાડયું હતું તેમજ ૨૧ ખાનગી વાહનોને આગ ચાંપી દેવાઈ હતી. તેમજ દુકાનોને પણ નશાનો બનાવી સળગાવી દેવામાં આવી હતી. નવાનાથ નગરમાં ઘર સળગાવી દેવામાં આવ્યો હોવાની જાણવા મળ્યું છે. આ મામલે પોલીસે બંને પક્ષનાં પપ ઈસમોની ધરપકડ કરી છે. જેમાં ૫૪ ઈસમોની ઓળખ થઈ છે. ફરાર શખ્સોની પણ અટકાયત કરવામાં આવશે. જયારે આ ઘટના બાદ શહેરમાં મોટી માત્રમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application