Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઔરંગાબાદનાં કરમાડમાં ચેન્નાઇ એક્સપ્રેસ ટ્રેન અડફેટે 46 પશુઓનાં મોત

  • October 06, 2022 

ઔરંગાબાદની જાલના જનારી ચેન્નાઇ એક્સપ્રેસ નીચે 46 પશુઓ કચડાઇને મોત પામ્યા હોવાની ઘટના બપોરનાં સમયે બની હતી. જોકે પશુપાલકોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. પોલીસના જણાવ્યાનુસાર, નાસિક જિલ્લાનાં બાણગાંવ ટાકળી ગામના સીતારામ ગોવેકર (ઉ.વ.66), કૌતિક ગોવેકર (ઉ.વ.21), અંકુશ ગોવેકર (ઉ.વ.25) અને કાશીનાથ માટેનું કુટુંબ ઔરંગાબાદનાં કરમાડમાં ત્રણસો ઘેટાં સાથે વસે છે. જોકે સોમવારે બપોરે સવા ત્રણ વાગ્યાની આસપાસ 43 ઘેટાંઓને પાણી પીવડાવવા માટે રેલવે ટ્રેક ઓળંગીને તળાવ સુધી લઇ જવાયા હતા.




તેમજ ઘેટાંઓનું આ ટોળુ પાછું ફરી રહ્યું હતું ત્યારે ચેન્નઇ એક્સપ્રેસની અડફેટમાં આવી ગયું આ ટોળામાં ઘેટા સહિત એક ગાય અને બે વાછરડાં એમ કુલ 46 પશુઓના મોત નીપજ્યા હતા. આ ભયાનક અકસ્માત થતા ગભરાઇ ગયેલા પશુપાલકોએ બાજુના ડુંગરની તળેટીમાં આશરો લીધો હતો. બનાવ અંગે સ્થાનિકોએ કરમાડ પોલીસને જાણ કરતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને પશુપાલકોને આશ્વાસન આપ્યું હતું. (ફાઈલ ફોટો)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application