Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સ્ટેચ્યૂ ઓફ યુનિટી- કેવડિયા ખાતે ૫૬૨ રજવાડાઓની શૌર્ય ગાથા રજૂ કરતું ભવ્ય મ્યુઝિયમ તૈયાર કરવાના નિર્ણય બદલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનો આભાર માનતા રાજવીશ્રીઓના પરિવારજનો

  • December 18, 2020 

શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ૫૬૨ રજવાડાઓનું આ ભવ્ય મ્યુઝિયમ બનાવવાની પ્રેરણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપી છે જ્યારે તેને ઝડપી પૂર્ણ કરવાના પ્રયાસો મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ હાથ ધર્યા છે. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનો આ ઐતિહાસિક નિર્ણય લેવા બદલ સમાજવતી આભાર માન્યો હતો.

 

 

 

આ બેઠકમાં ઉપસ્થિત વિવિધ રાજવીશ્રીઓના પરિવારજનો દ્વારા મુખ્યમંત્રીશ્રીને રજવાડી પાઘડી અને સ્મૃતિપત્ર આપીને તેમના સંકલ્પને બિરદાવ્યો હતો. આ પ્રસંગે રાજકોટના રાજવી પરિવારના શ્રી માંધાતાસિંહ જાડેજાએ ઉપસ્થિત સૌ રાજવીશ્રીઓના પરિવારજનોનો પરિચય કરાવ્યો હતો. આ બેઠકમાં લીંબડીના ધારાસભ્યશ્રી કિરીટસિંહ રાણા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષશ્રી આઇ. કે. જાડેજા સહિત વિવિધ પ્રાંતના રાજવીશ્રીઓના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application