Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

5 દીકરીઓ બાદ દીકરાનો જન્મ ન થતા પરણિતાને ત્રાસ આપતા સસરિયાઓને મહિલા હેલ્પલાઇને આપ્યું માર્ગદર્શન

  • November 25, 2020 

નર્મદા જિલ્લાના એક ગામમાંથી પરણિતાનો 181 મહિલા હેલ્પલાઇન માં કોલ આવ્યો કે તેમને દીકરો ન થતો હોવાથી તેમના પતિ અને સાસરી વાળા મારઝૂડ કરી હેરાન કરે છે માટે મદદ કરવા જણાવતા રાજપીપળા મહિલા પોલીસ સ્ટેશન સ્થિતિ 181 અભયમ રેસ્ક્યુ વાન તાત્કાલિક આ મહિલાના ઘરે પહોંચી પતિ અને સાસુને સમજાવ્યા કે આ માટે એકલી સ્ત્રી જવાબદાર નથી હવે દીકરી અને દીકરો એક સમાન છે દીકરીઓને પણ યોગ્ય શિક્ષણ અપાય તો એ પણ સ્વમાનભેર જીવી શકે છે. આમ વિગતવાર સમજ આપતા મહિલાના સસરિયા એ પોતાની ભૂલ કબુલ્યા બાદ હવે પછી પત્નીને હેરાન નહીં કરે તેવી ખાત્રી આપી હતી. 

 

 

આજે પણ ઘણા સમાજોમાં પરિવાર માં દીકરો હોવો જ જોઈએ અને દીકરા નો જન્મ ન થતા સમગ્ર દોષ પત્ની નો હોય તેમ માની મારઝૂડ અને માનસિક ત્રાસ ના કિસ્સાઓ હજુ પણ જોવા મળે છે આવોજ આ કિસ્સો અભયમ 181મહિલા હેલ્પલાઇન ને મળતા અભયમ ટીમે પત્ની અને સાસરી વાળને વિગતવાર સમજ આપતા મહિલાના સસરિયા એ પોતાની ભૂલ કબૂલી હતી.પોતાને મળેલ મદદ બદલ પરણિતા એ અભયમ ટીમ નો આભાર માન્યો હતો.(ભરત શાહ દ્વારા રાજપીપળા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application