Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હાથરસમાં બનેલ ઘટનાના વિરોધમાં સ્વયં સૈનિક દળ દ્વારા રાજપીપળા કલેકટર કચેરી બહાર ધરણા 

  • October 06, 2020 

યુપીના હાથરસ માં બનેલી બળાત્કારની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી મૂક્યો છે ત્યારે સમગ્ર દેશમાં રોષ ફાટી નીકળ્યો છે લોકો આરોપી ઓને ફાંસીની સજા થાય તેવી માગણી કરી રહ્યા છે ઉપરાંત તંત્ર દ્વારા આરોપીઓને બચાવવા ની તેમજ પીડિતાના પરિવારને હેરાન કરવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે લોકોમાં ઉગ્ર રોષની લાગણી જોવા મળી રહી છે ત્યારે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે સ્વયં સૈનિક દળ ધરણા કરી પીડિતા ના પરિવાને ન્યાય મળે તેવી માંગ કરી છે.

 

 

બેટી બચાવો બેટી પઢાવો ના સરકાર ના દાવા પોકળ : નરેશ બુજેઠા

હાલ દેશમાં વિવિધ જગ્યાઓએ બનીરહેલ અત્યાચારોની ઘટના બાદ બહુજન સમાજ માં રોષની લાગણી ફેલાઇ છે ત્યારે આજે બહુજન સમાજ ના સ્વયં સૈનિક દળ દ્વારા રાજ્યવ્યાપી ધરણા નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે અંતર્ગત રાજપીપળા કલેકટર કચેરી ખાતે પણ બહુજન સમાજ ના અગેવાનો દ્વારા ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

 

આ બાબતે આગેવાન નરેશ બુજેઠાએ જણાવ્યું હતું કે બહુજન સમાજ સામે વધી રહેલ અત્યાચારો બંધ થાય તેમજ હાથરસ માં બનેલી ઘટના માં પીડિતા ના પરિવાર ને ન્યાય મળે અને આરોપીઓ ને સખત સજા થાય તેવી માંગ કરાઈ હતી.(ભરત શાહ દ્વારા રાજપીપળા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application