Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પુરપાટ જતી ટ્રકે રાહદારી ને અડફેટે લેતા ઘટના સ્થળે મોત

  • October 06, 2020 

નર્મદા જિલ્લામાં વધતા અકસ્માતો માં બેફામ જતી ટ્રક સહિતના મોટા વાહનો જવાબદાર હોય ભારે વાહનો પર કંટ્રોલ જરૂરી હોવા છતાં કોઈ જ રોક ટોક જણાતી નથી જેના કારણે વારંવાર પગપાળા જતા લોકો નો પણ ભોગ લેવાઈ રહ્યો છે.

 

 

આવી જ ઘટના રાજપીપળા નજીક ના ખામર પાસે બની જેમાં એક ટ્રક ચાલકે પોતાના કબજામાંની ટ્રક પુર ઝડપે અને બેફીકરાઇ રીતે ચલાવી લાવી રોડની સાઇડમાં ચાલતા જયેશ ભાઇ ભુરીયાભાઇ વસાવા (ઉ.વ.45) ને અડફેટમાં લઇ અકસ્માત કરી ગંભીર ઇજાઓ કરી સ્થળ ઉપર જ તેમનું મોત નિપજાવી નાશી જતા

 

 

આ બાબતે ઉમરાભાઇ મનસીભાઇ વસાવા,રહે,નાની ચિખલી તા.નાદોદ ની ફરિયાદ ના આધારે અમલેથા પોલીસે અજાણ્યા ટ્રક ચાલાક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application