Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજપીપળા:પરિણીતાને સાસરિયામાં ત્રાસ આપતા પોલીસમાં ફરિયાદ

  • October 06, 2020 

રાજપીપળા ના આરબ ટેકરા ખાતે રહેતી અને નંદુરબાર(મહારાષ્ટ્ર) ખાતે પરણાવેલી પરણીતા ને દહેજ માટે ત્રાસ આપનાર સાસરિયાઓ વિરુદ્ધ મહિલા પોલીસ મથકે ફરિયાદ દાખલ થતાં પોલીસે 8 વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

 

પ્રાપ્ત માહિતી મુજબ રાજપીપળા આરબ ટેકરા ખાતે રહેતી અસ્માબેન ઈમરાનઅલી સૈયદ (ઉ.વ.25)) ને લગ્ન જીવન ના પાંચેક વર્ષ દરમિયાન પતિ-ઈમરાનઅલી સાકીર અલી સૈયદ એ મારામારી કરી દહેજની માંગણી કરી શારિરીક માનસિક ત્રાસ આપતા હતા.

 

 

તથા બાકીના સાસરિયાઓ પૈકી સાકીર અલી હુશેનઅલી સૈયદ,સાબેરા સાકીરઅલી સૈયદ,શમીના સૈયદ સાકીરઅલી આસિફ સૈયદ, આસિફ નાજીરા આસિફ સૈયદ,આસિફ સુમૈયા બદરી,સૈયદ આસિફ તમામ રહે. ફિરદોષ કોલોની તલોદા (મહારાષ્ટ) નંદુરબાર નાઓએ સાથે મળી મેણા ટોણાં મારી ધાક ધમકી આપી માનસિક શારીરીક ત્રાસ આપતા હોય એ બાબતે સાસરિયાઓ વિરુદ્ધ આસ્મા બેન એ રાજપીપળા મહિલા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.(ભરત શાહ દ્વારા રાજપીપળા) 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application