Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજપીપળામાં જાહેરનામા ના ભંગ બદલ બે જણા વિરુદ્ધ કાર્યવાહી

  • October 04, 2020 

નર્મદા પોલીસ હાલ જાહેરનામા નો કડક અમલ કરવા બાઝ નજર રાખી રહી હોય રાજપીપળા ના અવધૂત મંદિર પાસે અને સંતોસ ચાર રસ્તા પર વાહન માં ત્રણ ચાર વ્યક્તિઓ બેસાડી જનાર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરાઈ હતી.

 

પ્રાપ્ત માહિતી અનુસાર રંગ અવધૂત મંદિર પાસે રાજપીપળા પોલીસ વાહન ચેકીંગ માં ઉભી હોય ત્યાં અમલેથા ગામના ભરતભાઇ ભંગડભાઈ વસાવા પોતાના વાહન માં ગે.કા.રીતે ચાર થી વધારે માણસો બેસાડી જતા હતા જ્યારે સંતોસ ચાર રસ્તા પાસે પોલીસે કામોડિયા ગામ ના ધીરજભાઈ ભાદરભાઈ વસાવા ને પણ જાહેરનામું હોવા છતાં વાહન માં ચાર થી વધુ માણસો બેસાડી જતા બંને વિરુદ્ધ પોલીસે જાહેરનામા ના ભંગ નો ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરી છે.(ભરત શાહ દ્વારા રાજપીપળા)

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application