Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નાંદોદ તાલુકામાં સગીરા નું અપહરણ કરી બળાત્કાર ની ઘટના બનતા ચકચાર

  • September 29, 2020 

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના આમલેથા પો.સ્ટે.ની હદ માં આવેલા એક નાનકડા ગામમાં સગીર વયની બાળકી નું અપહરણ કરી બળાત્કાર કર્યા ની ફરિયાદ પોલીસ દફતરે નોંધાતા ભારે ચકચાર મચી જવા પામી છે.

 

પ્રાપ્ત માહિતી અનુસાર આમલેથા પો.સ્ટે.ની હદ માં આવતા એક ગામની સગીરા એ આપેલી ફરિયાદ મુજબ પોતે પોતાના ઘર પાછળ આવેલ બાથરૂમમાં ગયેલ અને બાથરૂમ માંથી પરત ઘરમાં જતી હતી તે વખતે તેનાજ ગામનો પરેશ કાલિદાસભાઈ વસાવા તેને પકડી ઘરની પાછળના ભાગે પંદરેક ફુટ દુર સુધી ખેંચી લઈ જતા સગીરા એ બુમા બુમ કરતા એક બેન ત્યાં દોડી આવતા પરેશ ને પકડી પાડતા તેમની સાથે ખેચતાણ કરી નાશી ગયો તથા પરેશ સાથે આવેલો નજીકના ગામનો હેમંત ભોપતભાઈ વસાવા સગીરા ના ઘર પાસે પરેશ ની દેખરેખ માટે ઉભો રહ્યો હતો.

 

ત્યારબાદ પરેશ એ સગીરાનું અપહરણ કરી નજીકના ગામની સીમમાં આવેલ શેરડીના ખેતરમાં લઈ જઈ તેની સાથે બળાત્કાર કર્યાની ફરિયાદ આમલેથા પોળ.સ્ટે.માં દાખલ થતાં પોલીસે અપહરણ, બળાત્કાર,પોસ્કો ની કલમ સાથે ગુનો દાખલ કરી પરેશ અને હેમંત ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application