Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નર્મદા બંધ ના ૧૦ દરવાજા ખોલવામાં આવ્યા, કાંઠા વિસ્તારો ને સાબદા કરાયા

  • September 23, 2020 

ચાલુ વરસાદની સિઝન માં સરદાર સરોવર નર્મદા બંધ તેની સંપૂર્ણ સપાટીએ પહોંચ્યો હતો અને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા નર્મદા બંધના જળ ના ઈ વધામણા કરાયા હતા અને વડાપ્રધાન મોદીના જન્મદિને નર્મદા ડેમને સંપૂર્ણ ભરી ગુજરાત સરકાર દ્વારા ભેટ આપવામાં આવી હતી હાલ મધ્યપ્રદેશ માંથી પાણીની આવકના પગલે સરદાર સરોવર નર્મદા બંધના ૧૦ દરવાજા ખોલી ૨.૩૩ લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાઇ રહ્યું છે.

 

આજે નર્મદા બંધ માં ઉપરવાસ માંથી ૧.૪૨ લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઇ રહી છે સરદાર સરોવર નર્મદા બંધ ની જળ સપાટી ૧૩૭.૦૩ મીટરે પોહોંચી છે હાલ ડેમના ૧૦ દરવાજા ખોલી ૨.૩૩ લાખ ક્યુસેક જેટલું પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે જેથી નર્મદા , ભરૂચ તેમજ વડોદરા જિલ્લાના કાંઠાના વિસ્તારો ને એલર્ટ રહેવા વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે હાલ નર્મદા બંધ નું લાઇવ સ્ટોરેજ ૫૨૪૦.૩૦ MCM નોંધાયું છે.(ભરત શાહ દ્વારા રાજપીપળા) 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News