Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના દોણ ગામે આંગણવાડીની દીવાલ ધરાશાયી થતાં મજુર નું મોત

  • September 22, 2020 

સોનગઢ તાલુકાનાં દોણ ગામના નિશાળ ફળીયામાં જૂની આંગણવાડીની દીવાલ ધરાશાયી થતાં એક મજુર નીચે દબાઈ જતાં તેનું મોત નીપજયું હોવાનો બનાવ સોનગઢ પોલીસ મથકે રજીસ્ટર થયો છે.

 

મળતી માહિતી અનુસાર સોનગઢ તાલુકાનાં વડપાડા પ્ર ઉમરદા ગામે રહેતા રમેશભાઈ દેવલીયાભાઈ કોંકણી (ઉ.વ.46) નાઓ આજરોજ સવારે અન્ય માણસો સાથે મજૂરી કામ માટે દોણ ગામે આવ્યા હતા. જ્યાં તેઓ મજૂરીકામ કરી રહ્યા હતા. તે સમયે સવારે 9:30 કલાકના અરસામાં અચાનક આંગણવાડીની પાકી દીવાલ ધરાશાયી થતાં ત્યાં કામ કરી રહેલ રમેશભાઈ દીવાલ નીચે દબાઈ જતાં તેમને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું.

 

બનાવ અંગે ફુલસિંગભાઈ નટુભાઈ કોકણીની ફરિયાદ ના આધારે સોનગઢ પોલીસે અકસ્માત મોતનો બનાવ નોંધી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application