Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી:આદિવાસીઓને સંપૂર્ણ ટોલ મુક્તિ આપવામાં આવે,માંગ ન સંતોષાય તો ઉગ્ર આંદોલન ના એંધાણ

  • September 14, 2020 

આજે 13મી સપ્ટેબર ના રોજને યુનો દ્વારા વિશ્વ આદિવાસી અધિકારીતા દિવસ તરીકે ઘોષિત કર્યો છે, જેને લઇ આજે આદિવાસી બહુલતા ધરાવતા તાપી જિલ્લાના આદિવાસી સંઘટન દ્વારા સોનગઢના માંડળ ગામના ટોલ નાકા પર મોટી સંખ્યામાં એકજુથ થઈને જિલ્લાના તમામ આદિવાસીઓને સંપૂર્ણ ટોલ મુક્તિ આપવામાં આવે તેવી માંગ કરી હતી.


આજે યુનો દ્વારા ઘોષિત 14માં આદિવાસી અધિકાર દિવસ નિમિતે તાપીમાં આદિવાસી એકતા મંચ દ્વારા ટોલમાં આદિવાસીઓને છૂટછાટ મુદ્દે સવારથી  વિરોધ વ્યક્ત કરાયો હતો.

 

સોનગઢના માંડલ ટોલ નાકે મોટી સંખ્યામાં સોસીયલ ડિસ્ટનસિંગ અને માસ્ક પહેરી આદિવાસીઓ ભેગા થઈને વિવિધ માંગ સાથેના પ્લેકાર્ડ બતાવી શાંતિપૂર્ણ રીતે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરયો હતો અને આગામી દિવસોમાં માંગ ન સંતોષાય તો 28મી સપ્ટેમ્બરે ઉગ્ર વિરોધની આગેવાનોએ ચીમકી આપી હતી.આદિવાસીઓ દ્વારા થઈ રહેલા વિરોધ ને પગલે તાપી પોલીસનો કાફલો માંડલ ટોલ નાકે ખડકી દેવાયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application