Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

 સોસાયટી ના પાંચ બંધ મકાનો ના તાળા તૂટ્યા :૮૪ હજાર ની ચોરી 

  • September 01, 2020 

રાજપીપળા રોહિત વાસ વિસ્તાર પાસે આવેલી ચંદ્રવિલા સોસાયટી ના પાંચ મકાનો ના તાળાં તોડી તસ્કરો એ ત્રણ મકાનો માંથી રોકડ સહિત ઘરેણાં ની ચોરી કરી હતી જ્યારે બાકી બે મકાનો માંથી કોઈજ સામાન કે રોકડ ની ચોરી ન થઈ હોય સોસાયટી ના રહીશો માં ફફડાટ ફેલાયો છે.

 

ચંદ્રવિલા સોસાયટી માં સોમવારે વહેલી સવારે કોઈ અજાણ્યા તસ્કરો એ ફૂલ પાંચ બંધ મકાન ના તાળા તોડી તિજોરી કબાટ માં મુકેલા દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી જેમાં અર્પણા સિન્હા ના ઘર માંથી સોનાનું મંગળસૂત્ર,કાનની બુટ્ટી,ચાંદીના સિક્કા અને રોકડા રૂ.૭ હજાર મળી કુલ-રૂ.૬૫,૫૦૦/-જ્યારે સંદીપ કંચનભાઈ માછી ના મકાન માંથી રોકડા રૂ.૩૫૦૦/- અને ગણેશ જયંતીભાઈ વાઘરી ના મકાન માંથી રોકડા રૂ.૧૫,૦૦૦/- મળી કુલ રૂપિયા ૮૪ હજાર ની ચોરી કરી હતી જ્યારે અન્ય બે બંધ મકાનો માં પ્રતાપ જોયતારામ રાયકા અને સચિન ઈશ્વરભાઈ ચૌધરી ના મકાન ના તાળા તૂટ્યા પરંતુ અંદર થી કઇ ચોરી થયુ ન હોવાની ફરિયાદ રાજપીપળા પોલીસ સ્ટેશને નોંધાતા પોલીસે ગુનો નોંધી આ અજાણ્યા ચોરો ની તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application