Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રેલવે સ્ટેશન અને ઔદ્યોગિક વસાહતોમાં માસ્ક અને સેનેટાઈઝર બોટલનું વિતરણ કરાશે

  • August 22, 2020 

પરપ્રાંતથી કારીગર વર્ગ ધીરે- ધીરે સુરત શહેરમાં પરત ફરી રહ્યો હોવાથી, કારીગર વર્ગને મદદરૂપ બનવા માટે માસ્ક અને સેનેટાઈઝર બોટલનું વિતરણ કરવાનું ચેમ્બર ઓફ કોમર્સે નક્કી કર્યું છે. વેપાર ઉદ્યોગકારો તરફથી ચેમ્બર ઓફ કોમર્સને ૧.૨૫ લાખથી વધુ માસ્ક અને ૨૬ હજાર સેનેટાઈઝર બોટલનું દાન મળ્યું છે.

પ્રથમ તબકકામાં ટ્રેનોથી સુરત આવતાં શ્રમિકોને રેલવે સ્ટેશન ખાતે માસ્ક અને સેનીટાઇઝરની બોટલોનું વિતરણ કરવામાં આવશે. સુરત સ્ટેશને એક બુથ બનાવવામાં આવશે. ચેમ્બરના સભ્યો માસ્ક અને સેનીટાઇઝરની બોટલોનું વિતરણ કરશે.બીજા તબકકામાં શહેરના ઔદ્યોગિક વિસ્તારોમાં ફરીને જાગૃતિના ભાગરૂપે શ્રમિકોને સેનીટાઇઝર બોટલોનું અને માસ્કનું વિતરણ કરવામાં આવશે, એમ ચેમ્બર ઓફ કોમર્સના કાર્યવાહક પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application