ભરત શાહ દ્વારા રાજપીપળા : નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે હાલ કોરોના સંક્રમણ ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોવા મળી રહ્યું છે આજે નર્મદા જિલ્લામાં નવા ૧૧ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.
નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ ઓફિસર ડૉ આર.એસ.કશ્યપ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે નર્મદા જિલ્લા માં ૧૧ દર્દી કોરોના પોઝિટિવ છે જેમાં રાજપીપળા માં દરબાર રોડ ૧, વડિયા પેલેસ ૧, હાઉસિંગ બોર્ડ ૧ કોરોના પોઝિટિવ નોંધાયા છે ઉપરાંત નાંદોદ તાલુકાના વાવડી ૨, કરાઠા ૨, અમલેથા ૧ , વડિયા ૧ ડેડીયાપાડા તાલુકાના કોલીવાળા ૧ અને ડેડીયાપાડા માં ૧ આમ જિલ્લામાં કુલ ૧૧ પોઝિટિવ દર્દી નોંધાયા છે.રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં હાલ ૨૪ દર્દીઓ સારવાર હેઠળ છે અને કોવિડ કેર સેન્ટર માં ૩૦ દર્દી દાખલ છે આજે ૯ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં ૪૦૭ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે સાથેજ નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંકડો ૪૬૭ એ પોહોચ્યો છે આજે વધુ ૨૬૬ સેમ્પલ ચકાસણી હેઠળ છે.આજે રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં તિલકવાળાના ૭૮ વર્ષીય વૃદ્ધ નું મોત નીપજ્યું છે આરોગ્ય તંત્ર તરફથી મળતી માહિતી મુજબ તેઓ ૧/૦૮/૨૦૨૦ ના રોજ રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા ૮/૦૮/૨૦૨૦ ના રોજ તેમનું મૃત્યુ થયું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application