નર્મદાનાં દેડિયાપાડામાં તસ્કરોએ તરખાટ મચાવી મોઈબલની દુકાનમાંથી ૩૦ જેટલા મોબાઈલ તસ્કરોએ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.
મળતી માહિતી મુજબ, રાત્રિના સન્નાટામાં દેડિયાપાડાના લોકો મીઠી નિદ્રા માણી રહ્યા હતા ત્યારે દેડિયાપાડાના મધ્ય ભાગમાં એસટી ડેપો સામે આવેલા કોમ્પલેક્ષમાં મોબાઈલની દુકાનના માલિક મનિષ ચૌધરી અને સુરેશ ચૌધરીની મોબાઈલની દુકાનમાં સટરની બાજુનો ભાગ પોહોળો કરીને ચોરોએ મોબાઈલની દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને ૩૦ જેટલા મોબાઈલની ચોરી કરી હતી. જેની અંદાજિત કિંમત રૂપિયા ૩ લાખ જેટલી થાય છે. ચોરો ચોરી કરીને લઈને ભાગી ગયા હતા. સવારે મોબાઈલની દુકાનના માલિક મનિષ ચૌધરી અને સુરેશ ચૌધરીએ તપાસ કરતાં ચોરી થયાનું જણાઈ આવ્યું હતું. બનાવ અંગે દેડિયાપાડા પોલીસ ચોરીની ફરિયાદ નોંધી આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application