Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નાઈજીરીયામા નૌકા ડૂબી જતાં 26 લોકોના મોત, જયારે ગુમ થયેલની તલાશ હાથ ધરાઈ

  • September 12, 2023 

નાઈજીરીયામાં એક નૌકા દુર્ઘટનાગ્રસ્ત થઈ જવાથી 26 લોકોના મોત થઈ ગયા છે. આ દુર્ઘટનાનો શિકાર બનેલા અનેક લોકો ગુમ છે જેમની તલાશ કરવામાં આવી રહી છે. નાઈજીરીયામાં આ દુર્ઘટના રવિવારે ત્યારે ઘટી હતી જ્યારે દેશના ઉત્તર-મધ્યમાં એક જળાશયમાં નૌકા ડૂબી ગઈ હતી. સ્થાનિક અધિકારીઓએ તેની જાણકારી આપી છે. અધિકારીઓએ જણાવ્યું કે, છેલ્લા ત્રણ મહિનામાં આ બીજી દુર્ઘટના છે. નાઈજીરીયાનો આ હિસ્સો ખૂબ જ પછાત છે. નાઈજીરીયાના નાઈજર રાજ્યના ગવર્નરના પ્રવક્તા બોલ્ગી ઈબ્રાહિમે જણાવ્યું કે, દુર્ઘટનાનો શિકાર બનેલી નૌકામાં 100થી વધુ લોકો સવાર હતા.



નૌકામાં સવાર લોકોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હતા. પ્રવક્તાએ જણાવ્યું કે, આ દુર્ઘટના મોકવા નામના એક સ્થળ પર ઘટી હતી. ઈબ્રાહિમે આગળ જણાવ્યું કે, નૌકા દુર્ઘટનામાં જીવ ગુમાવનાર અને ગુમ થયેલા લોકો ત્યાં આવેલા બંધને પાર કરીને પોત-પોતાના ખેતરમાં જઈ રહ્યા હતા. આવી સ્થિતિમાં એવો અંદાજો લગાવી શકાય કે, આ મોટા ભાગના લોકો ખેડૂતો હતા. ઈબ્રાહિમે જણાવ્યું કે, નૌકા દુર્ઘટનામાં 26 લોકોના મોતની પુષ્ટિ થઈ ગઈ છે. જીવ ગુમાવનાર લોકોમાં મોટા ભાગે મહિલાઓ અને બાળકો સામેલ છે. તેમણે જણાવ્યું કે, દુર્ઘટનાનો શિકાર બનેલા લગભગ 30 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. નાઈજર સ્ટેટ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સી સાથે મળીને મરીન પોલીસ અને સ્થાનિક ડાઈવર્સ પાણીમાં ડૂબેલા લોકોની શોધ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, બાકીના લોકોને પણ બચાવી લેવામાં આવશે. નાઈજીરિયાના આ હિસ્સામાં અગાઉ પણ આવી દુર્ઘટના થઈ ચૂકી છે. થોડા મહિના પહેલા જ જુલાઈમાં નૌકા ડૂબી જતાં 100 લોકોના મોત થયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application