Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સરખેજમાં ગેરકાયદેસર બાંધવામાં આવેલ ૨૨ રો-હાઉસ અને એક કોમર્શિયલ બાંધકામ તોડાયું

  • September 18, 2024 

અમદાવાદનાં સરખેજ વોર્ડમાં આવેલા નવી ફતેવાડી વિસ્તારમાં ગેરકાયદેસર બાંધવામાં આવેલા ૨૨ રો-હાઉસ તથા એક કોમર્શિયલ બાંધકામ તોડી પાડયા છે. માલિક-કબ્જેદારોને ૧૫ સપ્ટેમ્બર-૨૪ સુધીમાં સ્વૈચ્છાએ બાંધકામ દુર કરવાનુ હતું. નવી ફતેવાડી વિસ્તારમાં તૈવા ફલેટની સામે આવેલી જગ્યામાં રહેણાંક પ્રકારના ૩૨ તથા કોમર્શિયલ પ્રકારના ૧૯ એમ કુલ ૫૧ બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી દક્ષિણ-પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ તરફથી હાથ ધરવામાં આવી હતી.


રો-હાઉસ રહેણાંક પ્રકારના ૧૭ તથા કોમર્શિયલ પ્રકારના ૧૮ બાંધકામ દુર કરવામાં આવ્યા હતા. સર્વે નંબર-૯ પૈકીની જગ્યાના માલિક-કબજેદારો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં તારીખ ૧૧ સપ્ટેમ્બરના રોજ પીટીશન દાખલ કરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટ તરફથી સ્ટેટસ કવો આપવામા આવ્યો હતો. તારીખ ૧૩ સપ્ટેમ્બરે હુકમ કરી ૧૫ સપ્ટેમ્બર ૨૪ સુધીમાં માલીક-કબજેદારોને સ્વૈચ્છાએ બાંધકામ દુર કરવાના હતા. જે દુર કરવામાં નહીં આવતા એસ્ટેટ વિભાગે ગેરકાયદે બાંધકામ તોડી પાડયા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application