Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વોટ્સએપ પર કોરોનાવાયરસ અંગે જોક મોકલશો તો ગ્રુપ એડમિન-મેમ્બર્સને થઈ શકે છે જેલ ? જાણો શુ છે હકીકત

  • April 09, 2020 

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે હાલમાં સમગ્ર દેશમાં લોકડાઉન છે. લોકો હાલમાં પોતાનો મોટાભાગનો સમય સોશિયલ મીડિયા પર વિતાવે છે. હાલમાં કોરોનાને લઇને વોટ્સએપ પર અનેક પ્રકારના મેસેજ ફરતા થયા છે. જોકે તેમાંથી મોટાભાગના મેસેજ અફવા હોય છે. હાલમાં વોટ્સએપ પર એક મેસેજ વાયરલ થઇ રહ્યો છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે બધા લોકો ગ્રુપ બે દિવસ માટે બંધ કરી દો નહી તો કોરોના પર જોક્સ કરવાની પોલીસ તમારી વિરુદ્ધ કાર્યવાહી કરશે.તે સિવાય મેસેજમાં કહેવામાં આવી રહ્યું છે કે કોરોના પર જોક્સ કરવામાં આવશે તો ગ્રુપ એડમિન અને તેના વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરશે. સરકારે દેશમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ લાગુ કર્યો છે જેમાં સરકારી વિભાગ સિવાય અન્ય કોઈ નાગરિકને કોરોના બંધિત કોઈ અપડેટ પોસ્ટ કરવી કે શેર કરવાની મંજૂરી નથી. જો તેનો ભંગ કરવામાં આવશે તો ગુનો નોંધાશે. જોકે, આ વાયરલ મેસેજ પાછળ સચ્ચાઇ શું છે તેને લઇને સરકારે સ્પષ્ટતા કરી હતી. પ્રેસ ઇન્ફોમેશન બ્યૂરો (પીઆઇબી)એ આ મામલે કહ્યું હતું કે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ મેસેજ ખોટો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે તે પ્રમાણેના સરકાર દ્વારા કોઈ આદેશ આપવામાં આવ્યા નથી. એટલે કે આ મેસેજ ફેક છે. અને એક અફવાથી વધારે કાંઈ નથી. મહત્વનું છે કે વોટ્સએપ પર કોરોનાને લઇને વૈમનસ્ય કે અફવા ફેલાવવા બદલ તમારી વિરુદ્ધ કાર્યવાહી થઇ શકે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application