Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાપુતારા નોટીફાઈડ એરિયા ઈજારદાર દ્વારા ચાર ગામોના લોકોને અનાજ કીટ વિતરણ.

  • April 05, 2020 

Tapimitra News-કોરોના વાઇરસના કારણે સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવતા ડાંગના સાપુતારા તળેટીના ૪ જેટલા ગામોમાં નોટીફાઈડ એરિયા ના ઈજારદાર દ્વારા આજરોજ અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો સોનુનિયા ગામથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઈજારદાર શ્રી અર્જુનભાઇ કે.ગવળીએ જણાવ્યું હતું કે,ગિરિમથક સાપુતારા તળેટીની આજુબાજુના વિસ્તાર ધરાવતા ગામો કે જ્યાંથી લોકો સાપુતારા ખાતે મજૂરી,કામધંધો કે ખેતી પર નિર્ભર છે. હાલમાં લોકોને પડતી મુશ્કેલીઓને દુર કરવા માટે આજે આ ગરીબ લોકો માટે અનાજની કીટ વિતરણ કરવામાં આવી છે. જેમાં સોનુનિયા-૫૨,ગોટિયામાળ-૫૦,બરમ્યાવડ-૪૮ અને ગુંદિયા ગામમાં ૨૫ કીટ આપવામાં આવી છે.લોકોને અપાતી આ કીટમાં ૫ કિ.ગ્રા.ચોખા,૧ કિ.ગ્રા. તુવરદાળ,તેલ 1 કિ.ગ્રા.,ડુંગળી-બટાકા-૧-૧ કિ.ગ્રા. અને 1 કિ.ગ્રા. ખાંડ આપવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application