Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાંદેરમાં પોઝિટિવ કેસ નોંધાતા લોકો સજાગ, દૂધ-શાકભાજી લેવા નીકળતા લોકોની સંખ્યા ઘટી,પાલિકા દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો

  • March 31, 2020 

Tapimitra News-સુરત શહેરમાં લોકલ ટ્રાન્સમિશનના પોઝિટિવ કેસનો આંકડો ત્રણ પર પહોંચ્યો છે. ગત રોજ રાંદેર વિસ્તારના ૬૭ વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. સાથે સાથે લોકો પણ સજાગ થયા છે. છેલ્લા સાત દિવસ કરતા આજે દૂધ અને શાકભાજી લેવા નીકળતા લોકોની સંખ્યામાં ઘટોડા થયો છે. પોઝિટિવ આવેલા વૃદ્ધ રાંદેરમાં લોન્ડ્રીની દુકાન ચલાવે છે અને ટ્રાવેલ ડિસ્ટ્રી પણ નથી. જેથી વધુ મુશ્કેલી થઈ છે. હાલ આરોગ્ય અને ફાયર વિભાગ દ્વારા વૃદ્ધના ઘરની આસપાસના વિસ્તારને સેનિટાઈઝ કરવાની કામગીરી ચાલી રહી છે. જ્યારે લોકો ઘરમાં જ રહેવાનું મુનાસિબ માની ઘરમાં જ રહે છે. ઈમરજન્સી સિવાય લોકો ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. હાલ પાલિકા દ્વારા રાંદેર વિસ્તારમાં સર્વે શરૂ કરાવ્યો છે. જેથી પોઝિટિવ વૃદ્ધના સંપર્કમાં આવેલાઓ સુધી પહોંચી શકાય.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application