Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તળાવમાં 2 બાળકીઓનું ડૂબી જવાથી મોત, થોડા દિવસો પહેલા જ તમિલનાડુથી આવી હતી

  • May 18, 2023 

સુરતના હજીરમાં એક સોસાયટીના તળાવમાં 2 બાળકીઓનું ડૂબી જવાથી મોત થયું છે. મૃતક બંને બાળાઓ સગી બહેનો હતી અને થોડા દિવસો પહેલા જ તમિલનાડુથી આવી હતી. આ કરુણ ઘટના સુરતમાં હજીરામાં આવેલી નંદ નિકેટન ટાઉનશિપમાં બની હતી.



બનાવની વિગતો એવી છે કે, સુરતના હજીરમાં આવેલી નંદ નિકેટન ટાઉનશિપમાં આવેલા તળાવમાં બુધવારે સાંજે 2 સગી બહેનો ડૂબી ગઈ હતી. બંને બહેનોની ઉમર 6 વર્ષ અને 9 વર્ષની હતી. બંને બહેનો બે દિવસ પહેલા જ તમિલનાડુથી આવી હતી.બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે, બંને બાળાઓ તળાવમાં કઈ રીતે ડૂબી તેનું કારણ જાની શકયું નથી. પોલીસે બંને બહેનોના મૃતદેહ કબજે કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News