Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજકોટ : મોહરમનાં તાજિયા ઉપાડતી વખતે 15 લોકોને કરંટ લાગ્યો, ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત : તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા

  • July 29, 2023 

રાજકોટમાં  ધોરાજીનાં રસલપુરામાં તાજીયા દરમિયાન 15 જેટલા લોકોને વીજ કરંટ લાગતાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાંથી હાલમાં 3થી 4 જેટલા લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ અંગેની જાણ થતાં જ હોસ્પિટલની બહાર લોકોના ટોળે-ટોળા એકઠા થઈ ગયા હતા. હાલ હોસ્પિટલ ખાતે તમામની સારવાર ચાલી રહી છે. આ બનાવને પગલે આખા શહેરમાં ચકચાર મચી ગઈ છે. સુત્રો પાસેથી માલ્યી માહિતી અનુસાર, ધોરાજીનાં રસુલપરા વિસ્તારમાં મોહરમનાં તાજિયાને ઉપાડતી વખતે એક ટોળાને કરંટ લાગ્યો છે.



PGVCLની વીજ લાઈનમાં તાજીયા અડી જતાં આ ઘટના બની હતી. જેમાં 15 જેટલા લોકોને આ કરંટ લાગ્યો છે. જેમાંથી ત્રણ લોકો ગંભીર ઇજાગ્રસ્ત છે. આ ઇજાગ્રસ્તોને ધોરાજીની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતને કારણે આખા શહેરમાં ચકચાર મચી ગઇ છે. જોકે બીજી તરફ આ પ્રકારનો બનાવ ઝારખંડમાં પણ બન્યો છે. ઝારખંડના બોકારોમાં મહોરમના ઝુલૂસમાં મોટો અકસ્માત સર્જાયો હતો. હાઈટેન્શન તારની ઝપેટમાં આવતા તાજિયામાં બ્લાસ્ટ થયો હતો. તાજિયામાં બ્લાસ્ટ થતા ચાર લોકોનું મૃત્યુ થયા. ઘાયલ થયેલા 13 લોકોમાંથી નવની હાલત ગંભીર છે અને સવારે 6 વાગ્યાની આસપાસ તાજિયા લઈને જતા હતા ત્યારની આ ઘટના છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application