Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આગ્રા-અલીગઢ હાઈવે પર બસે વાનને પાછળથી ટક્કર મારતા ચાર મહિલાઓ અને ચાર બાળકો સહિત ૧૫ લોકોનાં મોત નિપજયાં

  • September 07, 2024 

નેશનલ હાઈવે-૯૩ પર એક બસે વાનને પાછળથી ટક્કર મારતા ચાર મહિલાઓ અને ચાર બાળકો સહિત ૧૫ લોકોના મોત થયા હતા. જ્યારે, અન્ય ૧૫ ઘાયલ થયા હતા. આ માહિતી અધિકારીઓએ શુક્રવારે આપી હતી. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આગ્રા-અલીગઢ નેશનલ હાઈવે પર ઓવરટેક કરવાની કોશિશમાં બસે વાનને ટક્કર મારી હતી. આ અકસ્માત કંવરપુર ગામ પાસે થયો હતો. બસ અને વાનના પ્રવાસીઓ હાથરસથી આગ્રા જઈ રહ્યાં હતાં. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જિલ્લા અધિકારીઓને ઘટના સ્થળે પહોંચીને રાહત કાર્યમાં જોડાવાના આદેશ આપ્યા હતા. વડાપ્રધાન નરેન્દ મોદીએ ઘટના પર દુ:ખ વ્યકત કર્યું હતું. આ સાથે જ મૃતકોના પરિજનોને રૂપિયા ૨ લાખ અને ઘાયલોને રૂપિયા ૫૦,૦૦૦/-ની મદદની જાહેરાત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News