Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત:પુત્રને ૧૨માં માળેથી ફેંક્યા બાદ માતાએ પણ કૂદીને આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર

  • April 23, 2018 

તાપીમિત્ર ન્યુઝ,સુરતઃપાલ-અડાજણ વિસ્તારમાં પુત્રને ૧૨માં માળેથી ફેંક્યા બાદ માતાએ પણ કૂદીને આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.બાળકની માતાએ પાંચ વર્ષના પુત્ર સાથે મોતની છલાંગ મારતા અનેક તર્કવિતર્ક વહેતા થયા છે.હાલ આપઘાતનું કારણ જાણવા મળ્યું નથી.પોલીસે સમગ્ર ઘટના અંગે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી છે. પાલ અડાજણ વિસ્તારમાં આવેલી સ્તુતી યુનિવર્સલ એપાર્ટમેન્ટમાં મૂળ હરિયાણાના રામનિહારે નેન પરિવાર સાથે ભાડે રહે છે.પરિવારમાં પત્ની, પુત્ર અને માતા છે.આજે પત્ની ચંચળબેન પાંચ વર્ષના પુત્ર અલ્કેશને લઈને ૧૨માં માળે પહોંચી હતી.ત્યારબાદ પહેલાં પુત્રને નીચે ફેંક્યો હતો.અને માતા પણ કૂદી ગઈ હતી.નીચે પટકાયેલા માતા-પુત્રને લઈને સોસાયટીના લોકો દોડી આવ્યા હતા.ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી છે.આપઘાતના કારણ અંગે તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application