Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પત્રકારો પર થયેલા લાઠીચાર્જ મુદ્દે માંડવી પ્રેસ ક્લબ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

  • May 14, 2019 

શૈલેષ પ્રજાપતિ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,માંડવી:જુનાગઢ ખાતે પ્રત્રકાર ઉપર થયેલા લાઠીચાર્જ મુદ્દે માંડવી પ્રેસ ક્લબ દ્વારા પ્રાંત અધિકારી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.જુનાગઢ ખાતે સ્વામિનારાયણ મંદિર ની ચૂંટણીમાં માં કવરેજ કરતા મીડિયાકર્મીઓ ઉપર એકાએક કરવામાં આવેલ લાઠીચાર્જ મુદ્દે સમગ્ર પત્રકાર જગત માં ભારે નારાજગી ફેલાઈ ગઈ છે,ઠેરઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે,અને પ્રત્રકાર પર લાઠીચાર્જ કરનાર અધિકારી વિરુદ્ધ ગુજરાત ભરમાં પ્રત્રકારો આવેદનપત્ર આપી રહ્યા છે.ત્યારે માંડવી પ્રેસ કલબ ઓફ માંડવી દ્વાર માંડવી પ્રાંત અધિકારી ને આવેદનપત્ર આપી પ્રત્રકાર પર કરવામાં આવેલા લાઠીચાર્જ ને વખોડી કાઢી લાઠીચાર્જ નો ઓર્ડર આપનાર તેમજ લાઠીચાર્જ કરનારા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application