Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બેંગલુરૂના આનેકલમા ફટાકડાના ગોડાઉનમા ભીષણ આગ ફાટી નીકળતા 12 લોકોના મોત, માલિક સહિત ચાર દાઝ્યા

  • October 08, 2023 

કર્ણાટકમાં એક મોટી દુર્ઘટના બની હતી જેમાં મોડી સાંજે બેંગલુરૂ શહેરના આનેકલ તાલુકામાં એક ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી જેમાં 12 લોકોનાં મોત થયા હતા તેમજ ગોડાઉનના માલિક સહિત અન્ય ચાર લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા અને હાલ તમામની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટનાની વધુ વિગત આપતા બેંગલુરુ રુરલ એસ.પી.એ જણાવ્યુ હતું કે, શહેરમાં બાલાજી ક્રેકર્સ નામના ગોડાઉનમાં વાહનમાંથી ફટાકડા ઉતારતી વખતે આ ઘટના બની હતી. હાલ આગ પર 80 ટકા જેટલો કાબુ મેળવી લેવામાં આવ્યો છે.



આગ ગંભીર રીતે દાઝી ગયેલા ચારમાંથી એકની હાલત ખુબ જ ગંભીર હોવાથી તેમને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ મૃતકોની ઓળખ મેળવવાનો પ્રયાસ પોલીસ હાથ ધરી રહી છે તેમજ આગળની કાર્યવાહી પણ કરી રહી છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આ દુર્ઘટના પર સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે લખ્યુ હતું કે બેંગલુરુ સિટી જિલ્લામાં આનેકલ નજીક ફટાકડાના ગોડાઉનમાં આગ લાગવાથી 12 લોકોના મોત થયાના સમાચાર સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું છે. હું અકસ્માત સ્થળ પર જઈને તપાસ કરીશ અને મૃતક શ્રમિકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News