Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

છત્તીસગઢનાં બલૌદાબજાર-ભાટાપારા માર્ગ પરનાં ગંભીર અકસ્માતમાં 11નાં મોત, 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત

  • February 24, 2023 

છત્તીસગઢનાં બલૌદાબજારમાં ભીષણ માર્ગ દુર્ઘટના ઘટી છે અને દુર્ઘટનાં ટ્રક અને પીકઅપ વાન વચ્ચે થયો હતો જેમાં 11 લોકોનાં મોત નીપજ્યા. જયારે ઘટનામાં 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તમાં બે ની હાલત ગંભીર છે. મૃતક તમામ એક જ પરિવારના હતા અને પારિવારિક કાર્યના કારણે ખિલોરાથી અર્જુની ગામ આવ્યા હતા. મૃતકોમાં 4 બાળકો પણ સામેલ છે. આ દુર્ઘટનાને પગલે મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે દુ:ખ વ્યક્ત કર્યુ છે. આ માર્ગ અકસ્માત બલૌદાબજાર-ભાટાપારા માર્ગ પર ખમરિયા વિસ્તારની છે.





મળતી માહિતી અનુસાર, બલૌદાબજારના ખિલોરાથી સાહૂ પરિવારના સભ્ય પીકઅપ વાનમાં સવાર થઈને અર્જુની ગયા હતા અને મોડી રાતે પાછા ફરી રહ્યા હતા રાતે લગભગ 12 વાગે બલૌદાબજાર-ભાટાપારા માર્ગ પર ખમરિયામાં ડીપીડબ્લ્યુએસ સ્કુલ નજીક પીકઅપ વાન અને ટ્રકની સામસામે અથડામણ થઈ ગઈ. ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને જિલ્લા હોસ્પિટલ અને આસપાસના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જયારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત 3 લોકોને રાયપુર રેફર કરાયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News