Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતમાં કોરોનાના અજગરી ભરડામાં નવા ૧૦૯ સપડાયા, એકનુ મોતઃ મૃત્યુ આંક ૮૨૨

  • September 03, 2020 

સુરત શહેર સહિત જીલ્લામાં કોરોના વાયરસના હાહાકાર વચ્ચે ૧૦૯ કેસ નોધાયા છે. આ સાથે શહેર - જીલ્લામાં કુલ પોઝિટિવની સંખ્યા ૨૧,૩૨૪ પર પહોચી છે. કોરોનાને કારણે એકનું મોત થતાં કુલ મૃતાંક ૮૨૨ થયો છે. કોરોનાને મ્હાત આપી અત્યાર સુધીમાં ૧૭,૫૫૫ લોકો ઘરે પરત ફર્યા છે. હાલ સિવીલ અને સ્મિમેર હોસ્પિટલમાં ૨૫૨ દર્દીઓ સારવાર લઇ રહ્ના છે. જયારે સિવીલ , સ્મિમેર સહિત અન્ય હોસ્પિટલોમાં ૮૬૫ એકટીવ કેસો છે.

 

સુરત શહેર અને જીલ્લામાં કોરોના વાયરસના કેસો ધીમે ધીમે ઓછા થઇ રહ્ના છે. પરંતુ રોજના સરેરાશ ૨૦૦ થી ૨૨૫ નોધાઇ રહ્ના છે. આ સંખ્યા ઘટાડવા માટે તંત્ર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્ના છે. ખાસ કરીને શહેરના કતારગામ , અઠવા અને રાંદેર ઝોનમાં કેસોની સંખ્યા ઓછી થવાના બદલે વધી રહી છે. તે માટે પાલિકાએ ફરીથી એકશનમાં આવી અનેક પગલાઓ લેવા માંડ્યા છે. તે દરમ્યાન બુધવારે બપોર સુધી સુરત શહેરમાં ૬૫ કેસ નોધાયા છે.

 

આ સાથે શહેરમાં ૧૬,૭૦૪ કેસો નોધાઇ ચુકયા છે. જયારે જીલ્લામાં પણ કેસો ઘટી રહ્ના છે. બપોર સુધીમાં ૪૪ કેસ નોધાયા છે. આ સાથે જીલ્લામાં પણ કોરોનાનો પોઝીટીવ આંક ૪,૬૨૦ કેસો નોધાયા છે. આમ સુરતમાં અત્યાર સુધી કુલ પોઝીટીવ આંક ૨૧,૩૨૪ પર પહોચ્યો છે. જયારે એકનું મોત નિપજતા અત્યાર સુધી ૮૨૨ ના મોત નિપજયા છે. આ ઉપરાંત કોરોનાને મ્હાત આપી મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઇ રહ્ના છે.

 

અત્યાર સુધી કોરોનાને મ્હાત આપી ૧૭,૫૫૫ દર્દીઓ સાજા થઇ ઘરે પરત ફર્યા છે. આમ રીકવરી રેટ લગભગ ૮૪ થી ૮૫ ટકા થયો છે. નવા નોધાયેલા કેસોમાં સરકારી કર્મચારીઓ, કાપડના વેપારી સહિત ટેક્ષટાઈલ સાથે સંકળાયેલા કર્મચારીઓ, રત્નકલાકાર તેમજ અન્ય ધંધા વ્યવસાઈઓ સહિત અનેકના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આમ કોરોનાની સારવાર લઇ રહેલા ૮૬૫ દર્દીઓ એકટીવ છે. જયારે સિવીલમાં ૧૫૬ અને સ્મિમેરમાં ૯૬ દર્દીઓ સારવાર હેઠળ છે. જેથી લગભગ ૭૦ ટકા બેડો બંને હોસ્પિટલોમાં ખાલી જાવા મળી રહ્ના છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application