Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

એએમસી દ્વારા સી.એસ.આર.ના ભંડોળમાંથી 100 આંગણ વાડીઓને સ્માર્ટ બનાવાશે

  • May 17, 2024 

ગુજરાતમાં સરકારે સ્માર્ટ ક્લાસરૂમ શરૂ કર્યા છે તે રીતે હવે અમદાવાદની 100 આંગણ વાડીઓને પણ સ્માર્ટ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)એ સી.એસ.આર.ના ભંડોળમાંથી આ આંગણવાડીઓને સ્માર્ટ બનાવશે. યુવા અનસ્ટોપેબલ એનજીઓ દ્વારા આ ખર્ચ વિવિધ કંપનીઓના સીએસઆર ફંડમાંથી કરવામાં આવશે. આમ આ આંગણવાડીઓને સ્માર્ટ બનાવવા માટે એએમસીએ રૂપિયો પણ ખર્ચવો નહીં પડે. એએમસી દ્વારા અત્યાર સુધીમાં કેટલીક આંગણવાડીઓને સ્માર્ટ બનાવવાની યોજના પૂરી કરવામાં આવી છે.


આ ઉપરાંત બીજી વીસેક આંગણવાડીને સ્માર્ટ બનાવવાની યોજના ચાલી રહી છે. એએમસી  2025ના અંત સુધીમાં લગભગ 75 જેટલી આંગણવાડીઓને સ્માર્ટ બનાવવાની કામગીરી પૂરી કરશે. આ આંગણવાડીઓને રમકડાં, પેઇન્ટિંગ, સ્માર્ટ ટીવી સહિતની બાબતોથી સજ્જ કરવામાં આવશે. અત્યાર સુધીમાં જે આંગણવાડી તૈયાર થઈ તેમાં બોડકદેવ ગ્રામ પંચાયતના મકાનમાં ચાલતી આંગણવાડી, ગોપાલ નગર ખાતેની આંગણવાડી, રામકૃષ્ણ નગર ખાતેની આંગણવાડી, ઘાટલોડિયા કુમુદ નગર ખાતેની આંગણવાડી, સોલા હરિજન વાસ ખાતે ચાલતી આંગણવાડી, બોડકદેવ લેડી તળાવની પાસે ચાલતી આંગણવાડીનો સમાવેશ થાય છે.


આ આંગણવાડીમાં બેઝિ કસેનિ ટેશનનું રિનોવેશન, આરઓ ફિલ્ટર સાથે પાણીની વ્યવસ્થા, એજ્યુકેશનલ પેઇન્ટિંગ, પ્લે ગ્રાઉન્ડ એરીયા, ધાબા પર જરૂરી વોટર પ્રૂફિંગ, પીવીસી-વૂડન ફ્લોરિંગ, ઇલેકટ્રિક ફિટિંગ, સ્માર્ટ ટીવી વિથ કન્ટેઇન 43 અને રમકડાંથી સ્માર્ટ આંગણવાડી સજ્જ કરવામાં આવશે. આ 100 પૈકી મોટા ભાગની આંગણવાડી ઓસ્લમ વિસ્તારમાં આવેલી છે. તેમા માળખાકીય સગવડો પૂરી પડાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News