Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મધ્યપ્રદેશમાં બની એક દુ:ખદ ઘટના : કાર કુવામાં પડી જતાં 10 લોકોનાં મોત નિપજયાં

  • April 28, 2025 

મધ્યપ્રદેશનાં મંદસૌર જિલ્લામાં એક દુ:ખદ ઘટના બની હતી. નારાયણગઢ પોલીસ વિસ્તારના કાચરિયા ગામમાં એક કાર કુવામાં પડી ગઈ હતી. આ ઘટનામાં 10 લોકોના મોત થયા છે. પ્રાથમિક જાણકારી અનુસાર વાનમાં જ 10 લોકો સવાર હતા. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી. મનોહર સિંહ નામના સ્થાનિક યુવકનું કૂવામાં પડી ગયેલા લોકોને બચાવવાના પ્રયાસ દરમિયાન મોત થયું. કારમાં કુલ 13 લોકો સવાર હતા.


અકસ્માતમાં કુલ 10 લોકોના મોત થયાના સમાચાર છે. આ ઘટના ત્યારે બની જ્યારે કાર પહેલા બાઇકને ટક્કર મારી અને પછી કૂવામાં પડી ગઈ. કૂવામાં પડ્યા બાદ કારમાંથી LPG ગેસ લીક ​​થવા લાગ્યો, જેના કારણે અંદર ફસાયેલા લોકોનો શ્વાસ રૂંધાઈ ગયો. અકસ્માત બાદ એક સ્થાનિક યુવકે કાર સવારોને બચાવવા માટે કૂવામાં કૂદી ગયો પરંતુ ગેસ લીકેજને કારણે તેનો પણ શ્વાસ રૂંધાઈ જવાના કારણે મોત નીપજ્યું. યુવકના મોતથી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. દુર્ઘટના અંગની માહિતી મળતા જ પોલીસ અને વહીવટીતંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ.


SDOP,પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અને SDM સહિત ઘણા અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા. તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું. ક્રેનની મદદથી લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. કુવામાંથી એક મહિલા, એક નાની છોકરી અને એક કિશોરીને જીવતી બહાર કાઢવામાં આવી. જેથી સારવાર માટે તાત્કાલિક તેમને જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બાકી અન્ય  લોકોના મોતની માહિતી સામે આવી રહી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે કારમાં સવાર તમામ લોકો ઉજ્જૈન જિલ્લાના ઉન્હેલ તાલુકાના રહેવાસી હતા. તેઓ ઉન્હેલથી નીમુચ જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application