વ્યારાનાં કસવાવ ગામમાં ઘર આંગણે મોટર ચાલુ કરવા ગયેલ યુવકને વીજકરંટ લાગતા તેનું મોત નીપજ્યું હતું જયારે યુવકનાં મોતથી પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઇ હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વ્યારા તાલુકાનાં કસવાવ ગામનાં નવું ફળીયામાં રહેતા ઉમેશભાઈ કાંતીલાલભાઈ ચૌધરી (ઉ.વ.૨૭) ગત તારીખ ૨૦/૦૨/૨૦૨૫ નારોજ પાણી ભરવા માટે ઘરના આંગણામાં મુકેલી મોટર ચાલુ કરવા જતા અચાનક જમણા હાથની હથેળીમાં આકસ્મિક રીતે કરંટ લાગતા તેમને તાત્કાલિક સારવાર અર્થે સરકારી દવાખાનાં લઇ જવામાં આવતા ફરજ પરના તબિબે મૃત જાહેર કર્યા હતા. ઘટના અંગે વ્યારા પોલીસ મથકે તરણભાઈ અશ્વિનભાઈ ચૌધરીએ જાણ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application