પંજાબનાં લુધિયાણામાં એક ફેક્ટરીની બિલ્ડિંગની છત અચાનક ધરાશાયી થવાની ઘટના બની છે. જેમાં મોટી સંખ્યામાં શ્રમિકો કાટમાળ નીચે દબાયા હોવાની સંભાવના છે. આ ઘટનામાં એક શ્રમિકનું મોત થયાના સમાચાર મળી રહ્યા છે. ઘટના બનતા જ બચાવ અને રાહતની ટીમ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે.
હાલ રાહત કાર્ય શરૂ કરી દેવાયું છે. મળતી માહિતી અનુસાર, ફોકલ પોઈન્ટ ફેઝ 8માં એક ફેક્ટરીની છત તૂટી બડ્યા બાદ છ શ્રમિકો ફસાયા છે. મોટાપાયે બચાવ અભિયાન ચાલી રહ્યું છે. મુખ્યમંત્રી ભગવંત માને શ્રમિકોને તાત્કાલિક બહાર કાઢવા અને સાજા હોવાની પ્રાર્થના કરી છે. આ ઘટનાએ શહેરમાં હડકંપ મચાવી દીધો છે. વહીવટીતંત્રે તમામ સાવચેતીનાં પગલાં લેવાની ખાતરી આપી છે. વહીવટીતંત્રે પરિસ્થિતિની ઊંડાણપૂર્વક તપાસ કરવા સૂચનાઓ પણ આપી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application