Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મુંબઈ-સુરત રોડ પર અજાણ્યા વાહન અડફેટે રાહદારીનું મોત, ચાલક વાહન લઈ ફરાર

  • February 03, 2023 

વલસાડનાં ડુંગરી ગામનાં ભરા ફળિયામાં રહેતા 55 વર્ષીય, કાળીદાસ મંગાભાઈ પટેલ, ડુંગરી હાઇવે ઉપર આવેલા બાબુભાઈ ઉબાળીયાવાળાના સ્ટોલ ઉપર વોચમેન તરીકે નોકરી કરતા હતા. જોકે ચાલુ નોકરી દરમિયાન રાત્રીએ રોડની સામે કોઈક કામે ગયા હતા. ત્યાંથી પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન મુંબઈ સુરત રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. જયારે આ અકસ્માત કરીને અજાણ્યો વાહન ચાલક વાહન લઈને ફરાર થઇ ગયો હતો.





અકસ્માતની ઘટના બનતા રાહદારીઓ અને વાહન ચાલકો ઇજાગ્રસ્ત આધેડ કાળીદાસભાઈની મદદે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ અકસ્માત અંગે ડુંગરી પોલોસ અને 108ની ટીમને ઘટનાની જાણ કરી હતી. અકસ્માતની ઘટનાને લઈને સુરત મુંબઇ હાઇવે પ્રભાવિત બન્યો હતો. વલસાડ ડુંગરી પોલોસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાળીદાસભાઈની લાશનો કબ્જો લઈને લાશનું PM કરવી આગળની તજવીજ હાથ ધરી હતો. જયારે કાળીદાસભાઈનાં પરિવાર જનોને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application