Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢમાં અશ્વરૂઢ શ્રીછત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ

  • June 08, 2022 

સોનગઢ નગર ખાતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજ સ્મારક સમિતિ દ્વારા તા.6ઠ્ઠી જૂન ના રોજ અશ્વરૂઢ શિવાજી મહારાજની પૂર્ણ કદની પ્રતિમા સ્થાપન કરવામાં આવી હતી. શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ દ્વારા કરવામાં આવ્યું. અનાવરણ થતા જ સોનગઢ નગર મહારાષ્ટ્રીયન સમાજનું પ્રતિમા સ્થાપનનું સ્વપ્ન પણ સાકાર થયું છે.



તાપી સહિત સોનગઢનો મહારાષ્ટ્રીયન સમાજ સહીત સમગ્ર હિન્દૂ સમાજ દ્વારા સોનગઢ નગરમાં શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપન થાય તે માટે વર્ષોથી માંગ  ઉઠી હતી અને સામાજિક સહીત રાજકીય પક્ષના આગેવાનો પણ આ કાર્ય માટે કે સૂત્રે કામમાં જોડાયા હતા. અને દાતાઓનો પણ સહયોગ મળતા સોમવારે બપોરે સોનગઢ નગરમાં નાસિક ઢોલ અને ડીજે તથા સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને સમગ્ર સોનગઢ નગરમાં ફરી હતી.



રસ્તામાં ઠેર ઠેર સમાજના લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સી.આર.પાટીલ સહિત મહાનુભાવો દ્વારા ઉદ્દબોધન રાખવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. કાર્યક્રમમાં પ્રભારી મંત્રી મુકેશ પટેલ સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application