Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહુવાનાં શેખપુર ગામે ફાંસો ખાધેલી વૃદ્ધની લાશ મળી આવતાં ચકચાર મચી, પોલીસ તપાસ શરૂ

  • January 10, 2023 

સુરતનાં મહુવા તાલુકાનાં શેખપુર ગામે આવેલા તાડ ફળિયામાં રહેતા 60 વર્ષીય વૃદ્ધ ખેડૂતની સાગનાં ઝાડ ઉપર ફાંસો ખાઈ લટકી ગયેલી હાલતમાં લાશ મળી આવતાં પંથકમ ચકચાર મચી ગઈ હતી. બનાવની વિગત એવી છે કે, ગત થોડા સમયથી અસ્થિર મગજનાં હોવાનું જણાવતા ખેડૂત અજીત સન્મુખ ચૌધરી ઘરે કોઈને કશુ પણ જણાવ્યા વગર ઘરેથી જતા રહેતા હતા અને પોતાના ખેતરમાં બેસી રહેતા હતા. જોકે પરિવારજનો તેમને ઘરે લાવી સમજાવીને ઘરે રહેવા તો જણાવતા હતા.




પરંતુ તેઓ ગમે ત્યારે ઘરેથી નીકળી જતા હતા અને બે દિવસ પહેલા તા.7મી એ સાંજનાં સમયે તેઓ પોતાના ઘરેથી નીકળી ગયા બાદ લાંબા સમય સુધી ઘરે પરત આવ્યા ન હતા. તેમની શોધખોળ કરવા છતાં તેઓ મળી ન આવતા તેમના પુત્ર એ તેમનો ફોટો whatsapp ગ્રુપમાં મૂકી તેમના ગુમ થવા વિશે લોકોને જાણ કરી હતી. આ દરમિયાન સવારે શેખપુર ગામે આવેલા ઝાંઝરવાડી ફળિયામાં આવેલા એક સાગનાં ઝાડ ઉપર ફાંસો ખાઈ તેમની લાશ જોવા મળી આવી હતી. તેમના પુત્રએ મહુવા પોલીસને જાણ કરી હતી જેનાં આધારે પોલીસે જરૂરી કાર્યવાહી કરી હોવાનું જાણવા મળેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application