વલસાડના ડુંગરી ગામના રેલીયા ફળિયામાં રહેતા પરેશકુમાર પટેલનો ડુંગરી ખાતે સિમેન્ટની દુકાનનું સંચાલન કરતા હતા. તેઓ પિતા મણિલાલ પટેલ, પત્ની પીન્ટલકુમારી, પુત્ર નિલય અને પુત્રી ભક્તિબેન સાથે રહેતા હતા. જયારે પરેશકુમારે તેમની દુકાનમાં હાજર પુત્ર નિલયને સિમેન્ટની ગાડી દુકાન પર આવે છે તેવી જાણ કરી હતી. ત્યારબાદ તેઓ બાઈક લઈને કામ માટે ક્યાંક નીકળી ગયા હતા.
પરેશકુમાર વલસાડના ચીખલા ગામના એસ્સાર પેટ્રોલ પંપની સામેથી અને વલસાડ કુંડી રોડ તરફ જતા રસ્તા પરથી પસાર થઇ રહ્યા હતા. તે સમયે પરેશકુમારે બાઈક પરનો કાબૂ ગુમાવતા, તેમની બાઈક સ્લીપ થઈ હતી. જે અકસ્માતમાં પરેશકુમારને ગંભીર ઈજા થઈ હતી. જે બાદ તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે પરેશકુમારને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે બાબતે મૃતકના પુત્ર નિલય પટેલે ડુંગરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500