Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉજ્જૈનમાં મહાકાલ મંદિરનાં ગેટ નંબર એક પર ભીષણ આગ લાગતાં અફરાતરી મચી

  • May 05, 2025 

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલ મંદિરના ગેટ નંબર એક પર આગની ઘટના સામે આવી છે. અહીં અચાનક આગ લાગવાની ઘટનાથી અફરાતરી મચી હતી. આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઘણી મહેનત બાદ આગ પર કાબુ મેળવી શકાયો છે.


આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે. જોકે પોલીસ તપાસ કરે પછી જ કારણ સ્પષ્ટ થશે. અહેવાલો અનુસાર, સોમવારે બપોરે મહાકાલ મંદિર સ્થિત સુવિધા કેન્દ્રની ઉપર સ્થિત પ્રદૂષણ બોર્ડના કંટ્રોલ રૂમમાં અચાનક આગ લાગી ગઈ હતી. થોડી જ વારમાં આગની જ્વાળાઓ ફેલાઈ ગઈ હતી. આ માહિતી તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડ ટીમને આપવામાં આવી હતી. આગ એટલી ભયાનક હતી કે કિલોમીટરો દૂર સુધી તેના ધૂમાડાના ગોટે ગોટા જોઈ શકાયા હતા. જોકે હાલ આગ પર કાબુ મેળવી લીધો છે અને કોઈ જાનહાનિના સમાચાર નથી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application