Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કુકરમુંડાના રાજપુર ગામે દીપડાએ પાડાનો શિકાર કર્યો, લોકોમાં ભયનો માહોલ

  • March 20, 2021 

કુકરમુંડાના રાજપુર ગામે રહેતાં દશરથભાઈ ધીમજીભાઈ વળવીના રાજપુર ગામની સીમના આવેલ ખેતરમાં ગત શુક્રવારે એક તબેલામાં એક ભેંસ અને એક ગાય તેમજ એક ભેંસના પાડિયાને બાંધ્યો હતો.જોકે દશરથભાઈના કુટુંબમાં દુઃખદ પ્રસંગ હોવાને કારણે બે દિવસથી ખેતરે રખેવાળી કરવા આવ્યા ન હતાં.દરમિયાન ગત રાત્રે એક ખૂંખાર દીપડાએ ઝૂંપડીમાં બાંધેલ પાડિયાને ગળા ના ભાગે હુમલો કરી બહાર ખેંચી લઈ જઈને પાછળના ભાગેથી ફાડી ખાધું હતું. અને ત્યાર બાદ દિપડો ત્યાંથી નીકળી ગયો હતો.

 

 

 

 

શનિવારના સવારે જ્યારે ખેતરના માલિકે જોયું તો પાડો મૃત હાલતમાં હોય ભેંસના પાડિયાને ગળાના ભાગે અને પાછળના ભાગે ગંભીર ઇજાઓ હતી. આજુ બાજુ ખેતરના સીમમાં જોતા દિપડાના પંજા દેખાય આવ્યા હતા જેથી એ વાત ની ખાત્રી થઈ હતી કે ભેંસ ના બચ્ચા (પાડા) પર દીપડા દ્વારા હૂમલો કરવામાં આવ્યો હતો.ત્યાં નજીકમાં ઘણા ખેડૂતો ઝૂંપડી બનાવી પોતાના પરિવાર અને પશુઓ સાથે રહેતા હોય છે. જેથી આ બનાવથી ખેતરમાં રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. 

 

 

 

 

અત્રે ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં ઘણા સમયથી દિપડો આંટા ફેરા મારતા લોકોને જોવા મળ્યો છે. અને ખેતરમાં દિપડાના પગના પંજાના નિશાન પણ જોવા મળ્યાં હતાં.જેથી કોઈ પશુઓ કે મનુષ્ય ને જાન હાનિ થાય એ પહેલાં પાંજરૂ મૂકવા ખેડૂતો માંગ કરી રહ્યા છે.(કૈલાશ વળવી દ્વારા નિઝર-કુકરમુંડા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application