સુરત જિલ્લાનાં ઉમરપાડાનાં પાંચઆંબા ગામે પટેલ ફળિયુમાં રહેતા શિવાજીભાઈ દાસુભાઈ વસાવા (ઉ.વ.૩૩) મજૂરી કરે છે. તેઓ નિલેશ ખાતરીયાભાઈ વસાવા સાથે પાંચઆંબામાં દાનસિંગભાઈ દેવનાભાઈ વસાવાના ખેતરના શેઢા પર આવેલ સીમાડીયા દેવ પર માનતા વિધિ કરવા ગયા હતા ત્યારે ધારાસિંગભાઈ ભાલો લઈ ત્યાં આવી જણાવ્યું કે તમે અહીંયા કેમ આવ્યા છો.
ત્યારે શિવાજીભાઈએ જણાવ્યું કે અમે પત્નીની માનતની વિધિ કરવા આવ્યા છીએ. જેવું જણાવતા ધારાસિંગભાઈ ભાલો લઈ શિવાજીભાઈને મારવા દોડ્યો હતો. શિવાજીભાઈએ ભાલો પકડી લીધો તો ધારાસિંગભાઈએ ઢીકમુક્કીનો મારમારી નિલેશભાઈને ગાળો આપી હતી. આ સાંભળી ચાર શખ્સો ત્યાં આવી શિવાજી અને નિલેશભાઈને ઢીકમુક્કીનો મારમારી જાનથી મારી નાંખવીની ધમકી આપી હતી. ઘટના અંગે ઉમરપાડા પોલીસ મથકે ધારાસિંગ દેવનાભાઈ વસાવા, ઈશ્વર રૂપજી વસાવા, અરુણ ઇશ્વર વસાવા, રોહિતભાઈ ઈશ્વરભાઈ વસાવા અને દિપેશ વિજેસિંગભાઈ વસાવા (તમામ રહે.પાંચઆંબા ગામ) વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application