નવસારીનાં દાંડીવાડમાં બે આખલા વચ્ચેના યુદ્ધમાં અડફટે આવેલ ૭૪ વર્ષીય વૃધ્ધાને માથામાં પહોંચેલ ગંભીર ઈજાને કારણે હેમરેજ થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, શાંતાબેન રેવામલ માધવાણી (ઉ.વ.૭૪, રહે.દાંડીવાડ, નવસારી)ના ધૂળેટી પર્વની રાત્રીના ૧૦:૪૫ના અરસામાં ઘર નજીક રહેતા મોટા દિકરાને ત્યાંથી મળીને પગપાળા ઘરે પરત ફરતા હતા. તે વખતે દાંડીવાડના રોડ ઉપર બે આખલા યુધ્ધે ચઢ્યા હતાં. જેને લઈને ગભરાઈને વૃધ્ધા શાંતાબેન રોડ કિનારા બાજુથી ધીમે ધીમે સાવચેતી દાખવી ઘર તરફ જતા હતા તે વખતે જ બે પૈકી એક આખલાએ દોડ મુકી રાહદારી શાંતાબેનને અડફટે લઈ પછાડતા તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા નવસારીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જયાં તબીબી તપાસમાં માથામાં હેમરેજ થયુ હોવાનું બહાર આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application