માંડવી તાલુકાના વરેઠી ગામની સીમમાં યુવકે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તડકેશ્વર ગામના કુંભાર ફળિયાનો રહેવાસી વિશાલભાઈ શુક્કરભાઈ વસાવા (ઉ.વ.૨૪) ઉગ્ર સ્વભાવનો હતો. તેણે કોઈક કારણસર વરેઠી ગામની સીમમાં આવેલા ખેતરમાં લીમડાના ઝાડ સાથે નાયલોનની દોરી વડે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટનાની જાણ થતાં માંડવી પોલીસ સ્ટેશનમાં કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી આપઘાતનું કારણ જણવા વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application