Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તેલંગાણામાં મોટી દુર્ઘટના ઘટી : નિર્માણાધીન ટનલમાં છતનો ભાગ ધરાશાયી થતાં શ્રમિકો ફસાયા, રેસ્ક્યુ ઓપરેશન શરૂ

  • February 22, 2025 

તેલંગાણામાં એક મોટી દુર્ઘટના ઘટી છે. અહીં એક નિર્માણાધીન ટનલમાં છતનો ભાગ ધરાશાયી થતાં મોટી દુર્ઘટના ઘટી છે. રાજ્યના નાગરકુર્નૂલ જિલ્લામાં શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (SLBC) ની ટનલની છતનો એક ભાગ ધરાશાયી થયો છે, જેના કારણે 6 થી 8 શ્રમિકો ફસાયા હોવાની આશંકા છે. જોકે શ્રમિકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. પોલીસે જણાવ્યું કે, નિર્માણ કંપનીની એક ટીમ મૂલ્યાંકન માટે સુરંગની અંદર ગઈ છે અને પુષ્ટિ કરી છે કે, શ્રમિકો ફસાયા છે.


એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, કામમાં લાગેલી કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે 6 થી 8 શ્રમિકો ફસાયા હોવાની આશંકા છે. અધિકારીએ જણાવ્યું કે, ‘આ ઘટના ત્યારે ઘટી જ્યારે કેટલાક શ્રમિકો કામ અર્થે અંદર ગયા હતા, ત્યારે જ સુરંગના 12-13 કિલોમીટર અંદર છત ધરાશાયી થઈ.’ જોકે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં સંખ્યા જણાવ્યા વિના કેટલાક લોકો ઘાયલ થયા હોવાનો સંકેત આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ રેવંત રેડ્ડીએ જિલ્લા કલેક્ટર, પોલીસ અધિક્ષક અને અન્ય અધિકારીઓને રાહત કાર્ય માટે ઘટના સ્થળે પહોંચવાનો નિર્દેશ આપ્યો છે.


મુખ્યમંત્રીના નિર્દેશ પ્રમાણે રાજ્યના સિંચાઈ મંત્રી એન. ઉત્તમ કુમાર રેડ્ડી, સિંચાઈ બાબતોના સરકારી સલાહકાર આદિત્યનાથ દાસ અને અન્ય સિંચાઈ અધિકારીઓ સ્પેશિયલ હેલિકોપ્ટરમાં ઘટના સ્થળે જવા રવાના થયા છે. બીજી તરફ દુર્ઘટના પર ચિંતા વ્યક્ત કરતા કેન્દ્રીય કોલસા મંત્રી જી કિશન રેડ્ડીએ ઘટનાના કારણો વિશે માહિતી માંગી અને અધિકારીઓને ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા જણાવ્યું છે. તેમણે અધિકારીઓને ઘાયલોને સારવાર અપાવવા પણ કહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application